વંદે ભારતનો નવો રૂટ: અમદાવાદથી વેરાવળ હવે ધોળકા-બોટાદ થઈ પહોંચી શકાશે, જાણો સમય અને ભાડું
પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ: વંદે ભારતના રૂટમાં મોટો ફેરફાર થયો છે, જેનાથી સૌરાષ્ટ્રના અનેક મુસાફરોને સીધો ફાયદો થશે. 17 ઓગસ્ટથી સાબરમતી-વેરાવળ વંદે ભારત હવે સુરેન્દ્રનગર-રાજકોટ નહીં, પરંતુ ધોળકા, ધંધુકા, બોટાદ અને જૂનાગઢ રૂટ પર દોડતી થઈ. એટલે નવા રૂટ પરના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ઝડપી રેલ સેવાનો લાભ મળશે.
પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 17 ઓગસ્ટ 2026થી રૂટ બદલાતા મુસાફરો નવા રૂટ મુજબ સાબરમતીથી ધોળકા-ધંધુકા-બોટાદ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચી શકશે. અગાઉ આ ટ્રેનનો રૂટ સાબરમતીથી સુરેન્દ્રનગર અને રાજકોટ થઈ વેરાવળ હતો.
ટ્રેનનાં ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ગઢડાના MLA મહંત શંભુનાથ ટુંડિયા, રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરિયા સહિતના આગેવાનોએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે દ્વારા ટ્રેનનાં રૂટમાં ફેરફાર કરાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ સ્ટેશનનાં બદલે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચીતલ અને જૂનાગઢ સ્ટેશન પર વંદે ભારત ટ્રેન ઊભી રહેશે, જેથી અહીંના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત રેલ સેવાનો લાભ મળશે. વંદે ભારત એક્સપ્રેસ 26901 ગુરૂવાર સિવાય સાબરમતીથી સવારે 6:00 વાગ્યે ઉપડશે, બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ-26902 ગુરુવાર સિવાય વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે.
વંદે ભારત ટ્રેન કેટલા વાગ્યે અને ક્યાંથી ઉપડશે?


ટ્રેનની ટિકિટનો દર
ટ્રેનની ટિકિટ AC ચેર કારના ₹1125
એક્ઝિક્યુટિવ ચેર કારના ₹ 2125
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
- વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
- ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ
- Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
