KuberaNowLogo
Tuesday, 18/08/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

વંદે ભારતનો નવો રૂટ: અમદાવાદથી વેરાવળ હવે ધોળકા-બોટાદ થઈ પહોંચી શકાશે, જાણો સમય અને ભાડું

પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

KuberaNow
desk@kuberanow18 Aug 2026
InstagramFacebookXLinkedIn
Vande Bharat Express Train
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનાં રૂટમાં ફેરફારAI Generated Image

અમદાવાદ: વંદે ભારતના રૂટમાં મોટો ફેરફાર થયો છે, જેનાથી સૌરાષ્ટ્રના અનેક મુસાફરોને સીધો ફાયદો થશે. 17 ઓગસ્ટથી સાબરમતી-વેરાવળ વંદે ભારત હવે સુરેન્દ્રનગર-રાજકોટ નહીં, પરંતુ ધોળકા, ધંધુકા, બોટાદ અને જૂનાગઢ રૂટ પર દોડતી થઈ. એટલે નવા રૂટ પરના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ઝડપી રેલ સેવાનો લાભ મળશે.


પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 17 ઓગસ્ટ 2026થી રૂટ બદલાતા મુસાફરો નવા રૂટ મુજબ સાબરમતીથી ધોળકા-ધંધુકા-બોટાદ અને જૂનાગઢ થઈને વેરાવળ પહોંચી શકશે. અગાઉ આ ટ્રેનનો રૂટ સાબરમતીથી સુરેન્દ્રનગર અને રાજકોટ થઈ વેરાવળ હતો.


ટ્રેનનાં ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ગઢડાના MLA મહંત શંભુનાથ ટુંડિયા, રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરિયા સહિતના આગેવાનોએ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે દ્વારા ટ્રેનનાં રૂટમાં ફેરફાર કરાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ સ્ટેશનનાં બદલે ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, ચીતલ અને જૂનાગઢ સ્ટેશન પર વંદે ભારત ટ્રેન ઊભી રહેશે, જેથી અહીંના મુસાફરોને પ્રથમ વખત વંદે ભારત રેલ સેવાનો લાભ મળશે. વંદે ભારત એક્સપ્રેસ 26901 ગુરૂવાર સિવાય સાબરમતીથી સવારે 6:00 વાગ્યે ઉપડશે, બપોરે 12:50 વાગ્યે વેરાવળ પહોંચશે. વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ-26902 ગુરુવાર સિવાય વેરાવળથી બપોરે 3:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:25 વાગ્યે સાબરમતી પહોંચશે.


વંદે ભારત ટ્રેન કેટલા વાગ્યે અને ક્યાંથી ઉપડશે?


સાબરમતીથી વેરાવળ


વેરાવળથી સાબરમતી


ટ્રેનની ટિકિટનો દર


ટ્રેનની ટિકિટ AC ચેર કારના ₹1125

એક્ઝિક્યુટિવ ચેર કારના ₹ 2125


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :vandebharatwesternrailwaytrainTraveltrainroute
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. હોસ્પિટલ કંપનીઓના શેર્સ કેટલા મોંઘા? 38 શેરનું વેલ્યુએશન એનાલિસિસ
  2. AIથી વધતા સાયબર જોખમ પર SEBI એલર્ટ: હવે IT ટીમ નહીં, કંપનીના બોર્ડે પણ લેવી પડશે જવાબદારી
  3. Parag Parikh Flexi Cap Fund: રિટર્નની રેસમાં ફરી રફ્તાર પકડશે?
  4. Horizon Industrial Parks IPOને Day 1 પર ઠંડો પ્રતિસાદ, માત્ર 14% Subscription

Economy

See more
  1. $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
  2. વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
  3. ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ
  4. Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
  2. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  3. REIT: રિયલ એસ્ટેટમાં ઓછી મૂડીથી રોકાણ કરો અને કમાવો નિયમિત ડિવિડન્ડ
  4. વાહન વીમો લેતા પહેલાં આ જાણો! પ્રકાર, કવરેજ, પ્રીમિયમ અને ફાયદા

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM