Aadharcardમાં 2 વખત જ નામ બદલી શકાય ? ત્રીજી વખત બદલવા માટે શું કરવું ?
UIDAIના નિયમો મુજબ આધાર કાર્ડમાં નામ બદલવાની મર્યાદા છે, પરંતુ ખાસ પરિસ્થિતિમાં ત્રીજી વખત પણ નામ અપડેટ કરી શકાય છે.

આધાર કાર્ડ આજે દરેક ભારતીય માટે મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંક એકાઉન્ટ, PAN કાર્ડ, UPI અને અન્ય ઘણી સેવાઓ સાથે આધાર જોડાયેલું હોવાથી તેમાં સાચી માહિતી હોવી જરૂરી છે. ઘણી વખત લગ્ન બાદ મહિલાઓને નામ અથવા સરનેમ બદલવાની જરૂર પડે છે. આ ઉપરાંત નામની સ્પેલિંગમાં ભૂલ હોય તો પણ સુધારો કરાવવો પડે છે.
આધારમાં કેટલી વખત નામ બદલી શકાય છે?
UIDAI દ્વારા આધાર કાર્ડમાં નામ બદલવાની સામાન્ય રીતે માત્ર બે વખત સુવિધા આપવામાં આવે છે. તો આધાર સાથે જોડાયેલું સરનામું અને મોબાઈલ નંબર ઘણી વખત અપડેટ કરી શકાય છે, ત્યારે નામ, જન્મતારીખ અને લિંગ જેવી માહિતીમાં મર્યાદા રાખવામાં આવી છે.
ત્રીજી વખત નામ બદલવા શું કરવું?
જો કોઈ વ્યક્તિને આધાર કાર્ડમાં ત્રીજી વખત નામ બદલવાની જરૂર પડે તો સામાન્ય ઓનલાઈન પ્રક્રિયાથી તે શક્ય નથી. તેના માટે તમારે આ પ્રક્રિયા કરવી પડશે. નામમાં ફેરફાર કરવા માટે નજીકના આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવી પડશે. ત્યારબાદ ત્યા નવા નામ માટે માન્ય પુરાવો રજૂ કરવો પડશે. UIDAI તમે કરેલી અરજીની તપાસ કરશે. ત્રીજી વખત નામ બદલવાની અરજીને Exception Update Process હેઠળ મંજૂરી આપવામાં આવે છે.
અરજી કરવા ક્યાં દસ્તાવેજોની જરૂર પડશે
લગ્ન પ્રમાણપત્ર
ગેઝેટ નોટિફિકેશન
અન્ય સરકારી માન્ય ઓળખ પુરાવા
અરજી નામંજૂર થાય તો શું કરવું?
કેટલાક કિસ્સામાં આધાર કેન્દ્ર પર ત્રીજી વખત નામ બદલવાની અરજી સ્વીકારવામાં આવતી નથી. આવી સ્થિતિંમાં UIDAI હેલ્પલાઈન નંબર 1947 પર સંપર્ક કરી શકાય છે. UIDAIને ઈમેલ દ્વારા પણ રજૂઆત કરી શકાય છે.
આધાર કાર્ડમાં નામ બદલવું મર્યાદિત પ્રક્રિયા છે, તેથી અપડેટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે આધારની માહિતી બેંક એકાઉન્ટ, PAN કાર્ડ, UPI, સરકારી સેવાઓ સાથે જોડાયેલી હોય છે. તેથી જો તમારા આધાર અને અન્ય દસ્તાવેજોમાં નામ અલગ હોય તો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
- વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel
- ગલ્ફ દેશોમાં ચાલતા યુદ્ધથી ભારતનાં રિયલ એસ્ટેટમાં કેમ ઉદાસી છવાઈ
- Q1FY27માં ભારતનું Balance of Payments $8.1 અબજના ખાધમાં, જૂનમાં સ્થિતિ સુધરી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
