મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
તહેવારો પહેલાં ખાંડની વધતી માંગ અને ઊંચા ભાવ વચ્ચે કેન્દ્ર સરકાર ખાંડ પરની 100% આયાત ડ્યૂટી ઘટાડવા અથવા સંપૂર્ણ દૂર કરવાની વિચારણા કરી રહી હોવાના અહેવાલ છે.

દેશમાં વધી રહેલા ખાંડના ભાવ અને આગામી તહેવારોની સિઝનમાં વધનારી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખાંડ પર લાગતી 100% આયાત ડ્યૂટી ઘટાડવા અથવા તો સંપૂર્ણ દૂર કરવાની વિચારણા કરી હોવાનો અહેવાલ છે. આ પગલાનો મુખ્ય હેતુ આયાતથી સ્થાનિક બજારમાં ખાંડની ઉપલબ્ધતા વધારવાનો અને ભાવ ઘટાડવાનો છે. જોકે, આ અંગે ચર્ચા હજુ ચાલી રહી છે અને ફૂડ તથા કોમર્સ મંત્રાલય તરફથી તાત્કાલિક સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી.
ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે
ભારતમાં તાજેતરમાં ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ISMAના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં Ex-mill ખાંડના ભાવ લગભગ ₹46 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ભારતમાં સામાન્ય રીતે ઓગસ્ટના અંતથી જાન્યુઆરી દરમિયાન ખાંડની માંગમાં વધારો જોવા મળે છે. તહેવારો દરમિયાન મીઠાઈ, Processed Food અને Beveragesની માંગ વધવાથી ખાંડના વપરાશમાં પણ વધારો થાય છે.
આયાતથી સ્થાનિક સપ્લાય વધારવાનો પ્રયાસ
અહેવાલ મુજબ આયાતને સરળ બનાવવામાં આવે તો વિદેશથી આવતી ખાંડ સ્થાનિક સપ્લાયમાં વધારો કરી શકે છે, જેના કારણે બજારમાં ઉપલબ્ધતા વધારવામાં મદદ મળી શકે છે. ભારત સામાન્ય રીતે સ્થાનિક વપરાશ માટે મોટા પ્રમાણમાં ખાંડ આયાત કરતું નથી. ISMAના ડેટા મુજબ છેલ્લે 2017-18માં નોંધપાત્ર માત્રામાં ખાંડની આયાત કરવામાં આવી હતી.
વરસાદની અછતથી શેરડીના પાક પર ચિંતા
વૈશ્વિક સ્તરે ખાંડના સપ્લાયને લઈને પણ ચિંતા વધી રહી છે. El Ninoના કારણે પાક પર અસર થવાની આશંકાએ આંતરરાષ્ટ્રીય ખાંડના ભાવ પર દબાણ વધાર્યું છે. ભારતમાં પણ મોન્સૂન વરસાદ સામાન્ય કરતા 13% ઓછો હોવાનું જણાવાયું છે. શેરડીનો પાક વરસાદ પર આધારિત હોવાથી ઓછા વરસાદને કારણે ઉત્પાદનને લઈને ચિંતા ઊભી થઈ છે. જૂન 2026ના અંત નજીક વરસાદની ખાધ 40%થી વધુ હતી, જેના કારણે કેટલાક પાકોના વાવેતરમાં પણ વિલંબ થયો હતો.
Crushing 10થી 15 દિવસ વહેલું શરૂ કરવાની યોજના
દેશના મોટા શેરડી ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની ખાંડ મિલો સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતમાં Crushing શરૂ કરે છે. ફૂડ મંત્રાલય સાથેની ચર્ચા બાદ મિલો આ વખતે Crushing કામગીરી 10થી 15 દિવસ વહેલી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તેનો હેતુ બજારમાં ખાંડની ઉપલબ્ધતા વહેલી વધારવાનો છે. સરકારે તાજેતરમાં વેપારીઓ માટે Stockpile Limit પણ લાગુ કરી છે, જેથી જથ્થાબંધ સંગ્રહ અટકાવી શકાય અને ભાવવધારા પર નિયંત્રણ રાખી શકાય.
શેરડીનું વાવેતર પણ પ્રમાણમાં થોડું ઓછું
કૃષિ મંત્રાલયના આંકડા મુજબ 14 ઓગસ્ટ સુધી દેશમાં 5.83 મિલિયન હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર થયું હતું. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં થોડું ઓછું છે. ઉત્પાદન અને સપ્લાયને લઈને વધતી ચિંતા વચ્ચે સરકાર હવે આયાત ડ્યૂટીમાં ફેરફાર સહિતના વિકલ્પો પર વિચારણા કરી રહી છે.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ભારતની ટેન્કર નિકાસમાં છ ગણાથી વધુ ઉછાળો, Q1માં આંકડો $1.36 અબજને પાર
- મોંઘી ખાંડથી દેશવાસીઓને મળશે રાહત, 100% Import Duty ઘટાડવાની સરકારની તૈયારી
- $52.3 billionની Dollar Inflow બાદ RBIએ FCNR(B) Window વહેલી બંધ કરી, Cost નહીં Target મુખ્ય કારણ: SBI Research
- વિકસિત ભારતની financing જરૂરિયાત માટે સરકાર બનાવશે high-level panel

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
